અમદાવાદમાં એ.એમ.એ ખાતે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા 'એસેન્ડો 2022' સેમિનારનું આયોજન કરાયું
Live TV
-
અમદાવાદમાં એ.એમ.એ ખાતે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ દ્વારા એક " એસેન્ડો 2022" નામે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા અને અનુભવી વક્તાઓએ પોતાના વક્તવ્યો આપ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જુદી જુદી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના આધુનિક સમયમાં ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. આ જ વિષયને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા પબ્લિક રિલેશનના વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ, કોરોનાના કારણોસર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. તેથી વિદ્યાર્થીઓ માટે આ આયોજન ખૂબ ઉપયોગી બની રહેશે તેમ સંસ્થાના સંયોજક દિવ્યમ ચતુર્વેદીએ જણાવ્યું હતું.
