અમદાવાદમાં બાળ તસ્કરીની ઘટના, બાળ મજૂરી માટે લવાયેલા 32 બાળકો છોડાવાયાં
Live TV
-
અમદાવાદમાં બાળ તસ્કરીની મોટી ઘટના સામે આવી છે. CID ક્રાઈમ બ્રાન્ચે વિવિધ NGO સાથે મળી અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી બિહારથી ગુજરાતમાં બાળ મજૂરી માટે લાવવામાં આવતા 32 બાળકોને છોડાવ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે બિહારથી બાળકોને મજૂરી માટે અમદાવાદ લવાઇ રહ્યા છે ત્યારે માહિતીના આધારે પોલીસે બિહારથી અમદાવાદ આવતી ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે 32 બાળકોને છોડાવ્યા હતા. આ બાળકોને કોણ લઇને આવી રહ્યું હતું અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા તે મામલે વધુ તપાસ શરૂ કરી છે.
