અમદાવાદમાં 23 જૂને સૌ પ્રથમ વખત સાદાઈથી નીકળશે રથયાત્રા
Live TV
-
વિશ્વપ્રસિદ્ધ અમદાવાદની રથયાત્રાને લઈ સૌથી મોટા સમાચાર-ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સાદાઈથી નીકળશે રથયાત્રા-અખાડા, ભજન મંડળીઓ નહીં થાય સામેલ-માત્ર રથ ખેંચી શકે તેટલા જ ખલાસી થશે સામેલ-મંદિર ટ્રસ્ટની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય.
અમદાવાદમાં 23 જૂને સાદાઇથી રથયાત્રા યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. જગન્નાથ મંદિર રથયાત્રા આયોજનને મુદ્દે યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વખતે ભજન મંડળીઓ, ઝાંખી ટેબ્લોઇડ,અખાડા વગેરે જોવા નહીં મળે. રથયાત્રાના દિવસે ત્રણેય રથ ખેંચી શકાય તેટલા જ વ્યક્તિની રથયાત્રામાં હાજરી રહેશે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે જાણકારી આપી હતી.
