દેશ ભરમાં આજથી 200 જેટલી સ્પેશ્યલ ટ્રેનનું સંચાલન શરૂ.
Live TV
-
દેશ ભરમાં આજથી 200 જેટલી સ્પેશ્યલ ટ્રેનનું સંચાલન શરૂ થઇ ચુક્યું છે. આ રેલવે સેવા શ્રમિક સ્પેશ્યલ અને 30 વાતાનુકુલિત ટ્રેન ઉપરાંતની રેલવે સેવા રહેશે. 200 ટ્રેનમાં વાતાનુકુલિત અને સામાન્ય એમ બંને શ્રેણી માટે ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનમાં, રીઝર્વેશન ટિકિટ સિવાય સફર નહીં થઇ શકે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે 1 જૂનથી 30 જૂન માટે સફર કરવા 26 લાખ પ્રવાસી ટિકિટ બુકિંગ કરાવી ચુક્યા છે. ટ્રેન સેવા શરૂ થવાના પ્રથમ દિવસે જ 1.45 લાખ પ્રવાસી પ્રવાસ ખેડવાના છે. પ્રવાસીઓને આ ટ્રેનમાં સફર કરવા માટે ટ્રેન પરવાનગીની 90 મિનિટ પહેલાં રેલવે સ્ટેશને પહોંચવું પડશે. રેલવે પ્રવાસીઓ એ સફર માટે જારી થયેલા તમામ દિશા નિર્દશનું પાલન કરવું પડશે. ટ્રેન રવાનગી પહેલાં તમામ પ્રવાસીનું થર્મલ ટેસ્ટિંગ થશે અને જે પ્રવાસીમાં સંક્રમણના લક્ષણો જોવા નહીં મળે તેઓ જ ટ્રેનમાં સફર કરી શકશે. પ્રવાસ દરમિયાન માસ્ક ધારણ કરવું આવશ્યક રહેશે.
