ત્રીજી તારીખે બપોર બાદ મહારાષ્ટ્રના રાયગઢ અને દમણ વચ્ચે ટકરાશે વાવાઝોડુ
Live TV
-
150 કિલોમીટર પ્રતિકલાકની મહત્તમ ગતિએ ફૂંકાઈ શકે છે પવન. સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં પડશે હળવાથી ભારે વરસાદ.હવામાન વિભાગના વડાએ કરી આગાહી.
કેરળ તરફ સર્જાયેલી ડ્રીપ્રેશનને કારણે સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત - અને દમણમાં થઇ શકે તેમ છે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યુ હતું કે, ત્રીજી જૂનના રોજ વાવાઝોડુ ડીપ ડીપ્રેશનમાં અને ત્યારબાદ સાયક્લોનીક સ્ટ્રોમમાં તબદીલ થઇ જશે અને તે મહારાષ્ટ્રના રાયગઢ અને દક્ષિણ ગુજરાત વચ્ચે ટકરાશે. તો ત્રીજી તારીખે રાતના સમયે દમણ અને આસપાસના વિસ્તારમાં અસર કરશે. બાદમાં તે સૌરાષ્ટ્ર તરફ ફંટાશે. ત્યારે તેની ગતિ વધારે હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને અસર કરશે. જેથી હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
