અમદાવાદ ખાતે અંદાજીત 800 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી, આર.સી ફળદુ તથા મંત્રી શ્રી કૌશિક પટેલ, મહેન્દ્ર સિંહ, જાડેજા, મેયર ગૌતમ પટેલ તેમજ સાંસદ કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ખાતે અંદાજીત 800 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, આર.સી ફળદુ તથા મંત્રી શ્રી કૌશિક પટેલ, મહેન્દ્ર સિંહ, જાડેજા, મેયર ગૌતમ પટેલ તેમજ સાંસદ કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કાયમી ઓર્ડર અને આવાસોની સોંપણી પણ કરવામાં આવી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે આજે સુપ્રિમ કોર્ટમાં ગુજરાતના ફિ નિયમન કાયદાને મંજૂર કરવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં જે શાળાઓએ વધુ ફી લીધી હોય તેમને પાછી આપવી જ પડશે. ઉપરાંત તેમણે ટ્રાફિક નિયમન માટે ઈ મેમો વ્યવસ્થા કારગર નિવડી છે અને સીસી ટીવી કેમેરા સાથે પોલીસ સ્માર્ટ બની છે તેવું જણાવ્યુ હતુ. તેમણે ટ્રાફિક પોલીસમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની જાહેરાત કરી હતી. પાણીનો બગાડ અટકે તેમજ પાણીના રિસાયકલ પર સરકાર જે કાર્યવાહી કરી રહી છે તેની ચર્ચા કરી હતી.
