અમદાવાદ રથયાત્રાઃ ડેશબોર્ડ પરથી સમગ્ર રથયાત્રાનું મોનિટરિંગ ખુદ CM રૂપાણી કરશે
Live TV
-
શહેર પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલનું મુખ્યમંત્રી નિવાસે સીએમ ડેશ બોર્ડ સાથે સીધું જોડાણ કરાયું છે. જેથી રથયાત્રાના સમગ્ર રૂટનું મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી બારીકાઈથી નિરીક્ષણ કરી કેટલાક સૂચનો કર્યા હતા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 142મી રથયાત્રા નિકળી છે. ત્યારે આ ઐતિહાસિક રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.ત્યારે આ ઐતિહાસિક રથયાત્રાના અમદાવાદ મહાનગરમાં પરિભ્રમણનું રીયલ ટાઈમ મોનિટરીંગ તલસ્પર્શી નિરીક્ષણ ખૂદ મુખ્યમંત્રીએ કર્યું હતું.
આ ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટનું AMC કન્ટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે. જેમાં 94 CCTV કેમેરા મારફતે રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવા અત્યાધુનિક 94 કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ 94 CCTV કેમેરા મુવેબલ હોવાથી ચારેય દિશામાં મુવ કરીને ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.
