અમદાવાદ: સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રિવરક્રુઝની આજથી શરૂઆત કરવામાં આવી
Live TV
-
ક્રુઝ દ્વારા સાબરમતિ નદીમાં લગભગ 15 થી 20 મિનિટ ફેરવવામાં આવશે
સાબરમતિ નદીમાં રિવરફ્રન્ટ ખાતે રિવરક્રુઝની આજથી શરૂઆત કરવામાં આવી છે. વલ્લભસદન થી આ એસી ક્રુઝનો પ્રારંભ થશે. આ ક્રુઝમાં હાઇક્વોલીટી સાઉન્ડ સીસ્ટમ ઇન્સ્ટોલ કરાઇ છે. જેથી લોકોને થિયેટરમાં બેઠા હોય તેવો અનુભવ થશે.
આ ક્રુઝમાં હેરિટેજ સિટીનો વીડિયો બતાવવામાં આવશે. આ ક્રુઝની ટિકિટ વલ્લભસદન ખાતે તૈયાર કરેલા કાઉન્ટર ઉપરથી મળશે. પ્રવાસીઓને આ ક્રુઝ દ્વારા સાબરમતિ નદીમાં લગભગ 15 થી 20 મિનિટ ફેરવવામાં આવશે.
આગામી દિવસોમાં આ ક્રુઝ માટે ઓનલાઇન ટિકિટની પણ વ્યવસ્થા કરાશે. આ ક્રુઝને ડેનમાર્કથી મંગાવવામાં આવ્યું છે. સાબરમતિમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ બાદ આ નવું નજરાણું ઉમેરાતા અમદાવાદીઓને આનંદ પ્રમોદ માટે વધુ એક પસંદગી મળી છે.
