અમરેલીઃ 83 વર્ષિય મહિલાના અંગોનું કરાયું દાન
Live TV
-
અમરેલીઃ 83 વર્ષિય મહિલાના અંગોનું કરાયું દાન
મૃતક વ્યક્તિના અંગોના દાનથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. ત્યારે અમરેલી જિલ્લામાં રહેતા ડો. બી. એન. મહેતાના 83 વર્ષીય પત્ની દમયંતીબેનના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. મૃતકને હેમરેજ થતાં તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, અમરેલીની કોઈ હોસ્પિટલને અંગદાનની મંજૂરી ન હોવાથી સરકારે રાતોરાત આ માટે મંજૂરી આપી હતી. એટલે મુંબઈથી 2 ડોક્ટર અમરેલી આવ્યા હતા. મૃતકના લીવરને અમદાવાદ સિવિલ હોસ્પિટલે લવાયું હતું. ઉપરાંત હવે સ્થાનિક સ્તર પર ચક્ષુદાન પણ કરવામાં આવશે. જોકે, વૃદ્ધાવસ્થાના કારણે મૃતકના હૃદય, કિડની જેવા અન્ય અંગોનું દાન શક્ય બન્યું નહતું.
