અમરેલીના બગસરામાં પૂરમાં તણાવાથી ચાર લોકોના મોત
Live TV
-
જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે બગસરાના હામાપુર ગામમાં પૂર, બડગાડામાં સાત લોકો હતા સવાર
અમરેલીના બગસરા ગામે પૂરમાં તણાવાથી ચાર લોકોના મોત થયા છે. આ ચારેય લોકો બળદ ગાડા સાથે વરસાદી પૂરમાં તણાયા હતા. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે બગસરાના હામપુરા ગામે નદી-નાળા છલકાતા
પૂરની સ્થિતિ ઉદ્દભવી હતી. જેના પગલે હામાપુર ગામના ખેડૂત પોતાના બળદ દાડા સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.જોકે આ અંગે લોકોને જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને ચારેય લોકોની શોધખોળ શરૂ કરી હતી.
તપાસના અંતે આજે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. પૂરમાં તણાવાથી એક બળકનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. જોકે ગ્રામજનો કહી રહ્યા છે કે, બળદગાડા પર કુલ સાત લોકો સવાર હતા.
