અમરેલી જિલ્લાને મોટી ભેટ, નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય
Live TV
-
નવા બગસરા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડ઼ીયા તાલુકાનો કરાયો સમાવેશ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલી જિલ્લા માટે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કર્યો છે. હવે જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સહિતની સેવાઓ ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહેશે.
આ નવા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરાયો છે. પ્રજાસત્તાક દિવસથી નવો બગસરા પ્રાંત કાર્યરત થશે. મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય લેતા હવે બગસરાના નગરજનોને કલેકટર કચેરીના કામ માટે 33 કિલોમીટર દૂર અમરેલી સુધી લાબું નહીં થવું પડે. 26મી જાન્યુઆરીથી નવો બગસરા પ્રાંત થશે કાર્યરત.
