અમરેલી પંથકમાં ભારે વરસાદ થતાં જમીનમાં પાણીના સ્તર આવ્યા ઉંચા
Live TV
-
અમરેલી જિલ્લામાં પાણની છત થવાથી વિસ્તારમાં શિયાળુ પાક સારો થવાની ખેડૂતોને આશા બંધાઈ
અમરેલી પંથકમાં ભારે વરસાદ થતાં જમીન તળના પાણી પણ ઉંચા આવ્યા છે, એટલું જ નહીં પણ બોર અને ડંકીમાં પ્રેશર સાથે સ્વયંભૂ પાણીના ફુવારા ઉછળવા લાગ્યા હતા. અમરેલી જિલ્લામાં પાણની છત થતાં ખેડૂતોને આશા છે કે, વિસ્તારમાં શિયાળુ પાક પણ સારો થશે. ખેડૂતોનું કહેવું છે કે, વિસ્તારમાં ચેકડેમ બંધ બંધાયા હોવાના લાભ થયો છે. જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 260 પૈકી 239 કામો શરૂ થયા હતા, તે પૈકી 172 કામો પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાઠીના માનસરોવર તળાવ અને કેટલા ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીમાં ઉભા થયેલા તળાવોની મુલાકાત પણ લીધી હતી.
