'અવસર લોકશાહીનો મારા ભારતનો' ના નારા સાથે જુનાગઢ અને ભરૂચમાં મતદાન જાગૃતિ
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર, ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમયે તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ 100 ટકા મતદાન કરવાની શપથ લીધી હતી.આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી, સ્વિપ કાર્યક્રમના નોડલ, અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા.
જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે મતદારોને જાગૃત કરવા એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ શહેર આસપાસના 50 થી વધુ યુવાનો યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. "અવસર લોકશાહીનો મારા ભારતનો" અને "મતદાન અવશ્ય કરીએ" ના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.