આજથી અમદાવાદમાં ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ
Live TV
-
ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે...જેમાં ગાંધીજી પરની ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે.
દેશમાં ઉજવાઈ રહેલી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે આ મહોત્સવનું આયોજન કરાયું છે...અમદાવાદનાં કલેલક્ટર કે.કે. નિરાલાએ ગઇકાલે આ મહોત્સવ અંગે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી..
