આજે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી
Live TV
-
હિંદુઓની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:હિંદુઓની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના લોકો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતો આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. દેશભરમાં આ તહેવારની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના સમયમાં શાળા-કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબી, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુરુકુળનાં વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના પ્રસિધ્ધ બગદાણા ખાતે બાપા સિતારામના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.. હજારો ભક્તો પગપાળા બગદાણા પહોંચ્યા હતા અને ગુરૂવંદના કરી હતી.. સવારની આરતીનો પણ સેંકડો ભક્તોએ લાભ લીધો હતો. વડોદરા ખાતે પણ વિવિધ સ્થળોએ ગુરુ પૂજન કરવામાં આવ્યું. બીએપીએસ સંચાલિત અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને વડોદરાના મેયર દ્વારા ગુરુ પૂજન કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.