આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિશેષ પૂજન, રાસ-ગરબાનું આયોજન
Live TV
-
આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિશેષ પૂજન, ગરબા-રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જીવનમાં શરદપૂર્ણિમા સુખ-સમૃધ્ધિ અને અમૃત વર્ષા કરે છે એ ભાવના સાથે ખાસ દૂધ-પૌંઆના પ્રસાદનું પણ સેવન કરવામાં આવે છે. ખાસ કૃષ્ણમંદિરોમાં તેમજ અન્ય મંદિરોમાં શરદ-પૂનમમાં ઉજવણી કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજીમાં ચાચર ચોક ખાતે 30 હજાર દીવડાની મહાઆરતી રાત્રે કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરદપૂનમ નિમિત્તે નાગરિકોને શુભકામના પાઠવી છે.
