આણંદઃ હત્યાના કેસમાં સંડોવાયેલા ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ
Live TV
-
આણંદ બોરસદ ચોકડી પાસે આવેલી ઓદ્યોગિક વસાહતમાં ગત રવિવારે ચાર મિત્રો વચ્ચે તાપણું સળગાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થતા બોલાચાલી અને હત્યાની ઘટના બની ગઈ હતી.
ત્યાર બાદ પોસીલતંત્ર દ્વારા હત્યા કરનાર સગીર વયનાં કિશોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારા ચારેય આરોપીઓ દિપકભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ, અજય માનસિંગ લાઠિયા, કૃણાલ વજેસિંહ સોઢાપરમાર, અવિનાશ વિરસિંહ બારિયાને ઝડપી પાડ્યા હતા અને તેમનું કોરોનાં પરિક્ષણ કરાવ્યા બાદ આગળની વધુ પુછપરછ હાથ ધરાઈ છે.
