Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

Live TV

X
  • રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જળાભિષેક કર્યો હતો.

    રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમનાથ મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકોના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીએ તેમને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કર્યું. સાથે જ તેમને પ્રસાદ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને શું કહ્યું ?

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, "આજે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં શિવના ચરણમાં શીશ નમાવીને દર્શન કર્યા. દેવાધિદેવ મહાદેવની પૂજા કરી જળાભિષેક કર્યો. આ સાથે રાજ્યના કુશળક્ષેમ અને સર્વ વ્યાપી વિકાસની પ્રાર્થના કરી. જય સોમનાથ "

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply