ઈંધણ વપરાશને લઈને જાગૃતિ માટે ગુજરાતમાં પણ ઝુંબેશ 'સક્ષમ'નો પ્રારંભ
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સક્ષમ 2020 કાર્યક્રમનો ,આરંભ કરવામાં આવ્યો હતો.
લોકો ઈંધણનો ઉપયોગ ઓછો કરે અને ઓઈલ તેમજ ગેસના વપરાશને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી, તારીખ 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ,પીસીઆરએના સહયોગથી ,રાષ્ટ્રવ્યાપી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2020ની ,ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સક્ષમ 2020 કાર્યક્રમનો ,આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ,તેલ ઉદ્યોગો ના અધિકારીઓ,ડિસ્ટ્રિબ્યુટર્સ અને ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ મહોત્સવ દરમિયાન આખો મહિનો ,વોકેથોન, સાયક્લોથોન જેવા વિવિધ કાર્યક્રમોનું ,આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ,આઇ.ઓ.સી.એલના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર ,એસ. એસ. લાંબાએ ,ભવિષ્યની પેઢી માટે ,સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ,ભાર મૂક્યો હતો. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ,પેટ્રોલિયમ ઉત્પાદનની જાળવણી પર, ભાર મૂક્યો હતો.
