ઈમ્પલોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કો-ઓપરેશન હેઠળ આવતા શ્રમિકોને ત્રણ મહિનાનું બેરોજગારી ભથ્થુ મળશે
Live TV
-
ઔદ્યોગિક શ્રમિકોને રાહત આપતા કેન્દ્રીય શ્રમ મંત્રાલયે મોટો નિર્ણય
ઔદ્યોગિક શ્રમિકોને રાહત આપતા કેન્દ્રીય શ્રમ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ઈએસઆઈસી એટલે કે, ઈમ્પલોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કો-ઓપરેશન હેઠળ આવતા શ્રમિકોને ત્રણ મહિનાનું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.. આ ભથ્થું છેલ્લાં વેતનનું 50 ટકા હશે.. આ ભથ્થામાં એવા શ્રમિકોનો સમાવેશ થશે જેઓ માર્ચથી લઈને 31 ડિસેમ્બર સુધી તેમનો રોજગાર ગુમાવી ચુક્યા છે કે, પછી ગુમાવી શકે છે.. શ્રમિકો પોતાનો બેરોજગારી ભથ્થાનો દાવો સીધો ઈએસઆઈસીમાં કરી શકે છે.. જેના માટે રોજગાર આપનારી કંપનીની મંજુરીની જરૂર નહીં પડે..
