ઉત્તરાયણમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન યોજવામાં આવશે
Live TV
-
ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા રાજયભરમાં કરૂણા અભિયાન યોજવામાં આવશે. 10થી 20 જાન્યુઆરી દરમિયાન રાજયભરમાં કરુણા અભિયાન યોજવામાં આવશે. આ અભિયાનમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે દરેક જિલ્લામાં અને દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલરુમ શરુ કરવામાં આવશે. ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ તાલુકા મુજબ ઘાયલ પક્ષી કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
