ઉપરવાસમાં વરસાદ થતાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
Live TV
-
મહત્વનું છે કે ડેમની જળ સપાટી જ્યારે 110.64 મીટરના લેવલ પર પહોંચે ત્યારે પાવર હાઉસ ચાલુ કરવામાં આવે છે.જો કે તેની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી આપે છે.
ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નજીવો વધારો થયો છે.ઉપરવાસમાંથી 8840 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટીમાં 12 સેન્ટિમીટરનો વધારો થયો છે અને હાલ ડેમની સપાટી 108.43 મીટરે પહોંચી છે.
બીજી તરફ ડેમમાંથી મેન કેનાલમાં 1236 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે ગોડબોલે ગેટમાંથી નદીમાં 626 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મહત્વનું છે કે ડેમની જળ સપાટી જ્યારે 110.64 મીટરના લેવલ પર પહોંચે ત્યારે પાવર હાઉસ ચાલુ કરવામાં આવે છે.જો કે તેની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી આપે છે.
