કચ્છનાં સરહદી વિસ્તારમાં ખેતરો પર થઈ રહેલા તીડનાં આક્રમણ અંગે સરકાર સતર્ક
Live TV
-
કેન્દ્રિય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ મેળવ્યો પરિસ્થિતિનો તાગ
કચ્છના સરહદી વિસ્તારમાં ,પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડના આક્રમણને લઈને કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા તાત્કાલિક કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. સૌ પ્રથમ તેમણે ભૂજના સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર, ડીડીઓ અને ખેતીવાડી અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે તીડના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખુબ જ સાવધાની પૂર્વક તીડનું આક્રમણ આગળ ના વધે અને ખેડૂતોને નુકસાન ન થાય તે માટેનાં તમામ પગલાં લઈ રહી છે
