કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં બચ્યા હવે માત્ર ૬ માદા ઘોરાડ
Live TV
-
ગુજરાતમાં લુપ્ત થવાના આરે આવેલ પક્ષી ઘોરાડનું નલિયા ઘોરાડ અભિયારણ્ય ખાતે થયું મૃત્યુ, દેશ અને દુનિયામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ને નામે જાણીતા ઘોરાડ પક્ષી માત્ર કચ્છ અને રાજસ્થાનમાં
દેશ અને દુનિયામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને નામે જાણીતા ઘોરાડ પક્ષી માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. કચ્છના નલિયા પાસે ઘોરાડ પક્ષી માટેની સેન્ચુરી પણ બનાવાઈ છે.પરંતુ દુર્ભાગ્યે હવે આ સેન્ચુરીમાં માત્ર 6 જ જેટલા ઘોરાડ જ બચ્યા છે. ઘોરાડ પક્ષી વિલુપ્ત થવાના આરે છે, આવા સંજોગોમાં દેશના ખ્યાતનામ વન્યજીવ વિશેષજ્ઞ અને સરંક્ષણવાદી પ્રકૃતિવિદ્દો અને કચ્છના પક્ષીવિદ્દઓ ઉપરાંત દેશના જુદા-જુદા રાજ્યોના પ્રકૃતિપ્રેમીઓ આ ઘોરાડના મોતને લઈને ચિંતિત છે. કચ્છના નલિયામાં GPS ટેગ કરેલું છેલ્લું પક્ષીનું મોત થતાં ઘોરાડના પ્રજાતિના અસ્તિત્વ પર સવાલ ઉભા થયા છે. નલિયાના ભાનાળા નજીક વન્યવિસ્તારમાં ઘોરાડ પક્ષીના મોતના મામલે વન વિભાગ તપાસ હાથ ધરી છે. અને પ્રાથમિક તારણ ફૂડ પોઈઝન માનવામાં આવી રહ્યું છે. હાલ FSL બાદ મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે. પરંતુ હાલ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં માત્ર 6 જેટલા જ માદા ઘોરાડ બચ્યાં છે
