કરમસદ ખાતે છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા ઉપવાસીઓના પારણા
Live TV
-
કરમસદ ખાતે છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા ઉપવાસીઓને ,ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પારણા કરાવ્યા હતા.
કરમસદ ખાતે છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા ઉપવાસીઓને ,ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પારણા કરાવ્યા હતા.કરમસદ હિતરક્ષણ સમિતિના સભ્યોને ,જીતુ વાઘાણીએ ખાતરી આપતા કહ્યું કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગણીને અમારુ સમર્થન છે.અને આ માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને દરખાસ્ત મોકલવામાં આવશે.તો પત્રકારો સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બહુ દુઃખની વાત છે કે આંદોલનને કોંગ્રેસે રાજકીય રૂપ આપવાનો પ્રયાસ કર્યો.કોંગ્રેસને સરદાર પટેલ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.કોંગ્રેસ હંમેશા સરદાર પટેલની અવગણના કરી છે
