કાલિકા માતાના મંદિરમાં આવતીકાલે આઠમના નવચંડી યજ્ઞનું આયોજન
Live TV
-
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે, સ્ટેટ સમયનું અતિપ્રાચીન કાલિકા માતાના ડુંગર તરીકે પ્રસિધ્ધ છે. આ ડુંગરમાં પૌરાણિક મહાકાલી માતાનું મંદિર આવેલું છે. નવરાત્રી દરમ્યાન આ મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન, નિત્ય પૂજન અર્ચન આરતી ઉપરાંત વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. સાતમા નોરતે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના ચરણોમાં મસ્તક ટેકવ્યું હતું અને આરતીનો લાભ લીધો હતો.
નવરાત્રીના દરમિયાન દર વર્ષે આઠમે નવચંડી યજ્ઞ થાય છે. આવતીકાલે આઠમના વિશેષ દિવસે મહાકાલી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના યજ્ઞ દરમ્યાન સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર લોકોને માટે ખુલ્લુ રહેશે.
