રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે
Live TV
-
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આવતીકાલથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. યુવા ભારતીયો પર સરકારના ધ્યાનના ભાગરૂપે મંત્રી વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરશે અને તેમને તેમની આગળની કારકિર્દી માટે સક્ષમ વાતાવરણ પૂરું પાડશે. ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’, આ ઈન્ટરએક્શન્સની થીમ છે.
ગુજરાતની મુલાકાત દરમ્યાન રાજીવ ચંદ્રશેખર ચાર યુનિવર્સિટીઓની મુલાકાત લેશે. જેમાં સુરેન્દ્રનગરની સીએસ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી અને રાજકોટની મારવાડી યુનિવર્સિટી તેમના પ્રવાસનો એક ભાગ છે.
