કેન્દ્રીય આદિજાતિ વિભાગ મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી
Live TV
-
કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે તિલકવાડામાં 'બામ્બુ ક્રાફટ ક્લસ્ટર'ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આદિવાસી ભાઈ-બહેનો દ્વારા વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી તેમણે કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્થાનિક મહિલાઓ જેવી રીતે વાંસમાંથી અગરબત્તી બનાવી રહી હતી તે જોઈ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, વેસ્ટ વસ્તુને રીસાયકલ કરીને ગુણવત્તા યુક્ત અગરબત્તી તૈયાર કરવામાં આવી રહી છે તે ખૂબ જ પ્રસંસનીય બાબત છે. વાંસ આધારિત હાથથી બનાવેલી ચીજવસ્તુઓ, ફર્નિચર, અગરબત્તી, અગરબત્તી સ્ટીક વગેરે તૈયાર કરવામાં આવે છે.
