કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત રહ્યા, ગાંધીનગરની "સમૌ પ્રાથમિક શાળામાં" શહીદ સ્મારકનું કર્યું લોકાર્પણ
Live TV
-
ગાંધીનગરમાં ઉનાવામાં અને રામકથા મેદાન ગાંધીનગરના સેક્ટર 11 ખાતે સમય ફાઉન્ડેશન આયોજીત કેસરીયા ગરબા-નવરાત્રી 2023માં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના દરિયાપુર વિધાનસભાનાં ધારાસભ્ય કૌશિક જૈનનાં જનસંપર્ક ઇ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાંસદો ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે સાંજે ગાંધીનગરમાં સમૌ પ્રાથમિક શાળામાં શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. તેઓ નવરાત્રીના પ્રારંભે માણસામાં આવેલા બહુચર માતાજીના મંદિરે આરતીમાં ઉપસ્થિત રહેશે. તેઓ ગાંધીનગરના ઉનાવામાં મહાકાળી યુવક મંડળ આયોજીત શેરી ગરબામાં તેમજ રામકથા મેદાન ગાંધીનગરના સેક્ટર 11 ખાતે સમય ફાઉન્ડેશન આયોજીત કેસરીયા ગરબા-નવરાત્રી 2023માં ઉપસ્થિત રહેશે.
