કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જેનેરીક દવાનો લોકો લઈ રહ્યા છે લાભ
Live TV
-
પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજનથી લોકોને લાભ થઇ રહ્યો છે.જે લોકો મોંઘી દવાઓ ખરીદી શકતા ના હોય તેવા લોકોને સરકાર દ્વારા ચાલવામાં આવતા જેનરિક ઔષધિ કેન્દ્રો પર મળતી ઓછી કિંમતની દવાઓને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જેનેરીક દવાનું લાભ લોકો લઈ રહ્યા છે. લોકોને ઓછા ભાવે દવા મળે આ હેતુથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના લાગુ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીની યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ થઈ રહ્યો છે.દમણના જેનેરીક દવા કેન્દ્ર આ સેવા કાર્ય ને આગળ વધારી રહ્યા છે.લોકો પણ આ યોજના માટે પ્રધાનમંત્રીનું આભાર કરવામાં આવ્યું છે.
