કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્રારા અર્બન ડેવલોપમેન્ટ વિષય પર બે દિવસીય સેમીનારનું આયોજન
Live TV
-
આવનારા સમમયાં ઉભી થનારી તકનીકી સમસ્યાઓને નિવારવા માટે ટેકનોલોજી સાથે અપગ્રેડ રહેવા બાબતે ચર્ચા કરાઇ.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય અને એસોચેમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે અર્બન ડેવલોપમેન્ટ વિષ્ય પર બે દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમીનારમાં દેશના સર્વાંગી વિકાસ માટે અને ગ્રામીણ ક્ષેત્રેમાં રહેતા લોકોની સુખાકારી માટે ગ્રામીણ કક્ષાએ માળખાકીય સુવિધાઓના વિકાસમાં શું પરિણામલક્ષી પ્રણાલી ઉભી કરી શકાય તે માટે ચર્ચા- વિચારણા કરાશે. સેમિનારમાં આવનારા સમમયાં ઉભી થનારી તકનીકી સમસ્યાઓને નિવારવા માટે ટેકનોલોજી સાથે અપગ્રેડ રહેવા બાબતે પણ ચર્ચા થઈ હતી. ભારત ગામડાઓનો દેશ છે ત્યારે અર્બન ડેવલોપમેન્ટ થવું ખુબ આવશ્યક છે અને તેનાથી શહેરોમાં થતી પલાયન પણ અટકાવી શકાશે. તેમ એસોચેમનાં ભાગ્યેશ સોનેજીએ જણાવ્યું હતું. સેમીનારમાં કેન્દ્ર સરકારના અર્બન બાબતોના સચિવ ડી.એસ. સિન્હા અને રીસનાં મુખ્યાધ્યક્ષ પ્રોફેસર અમિતાભ ખૂંડુએ પણ ખાસ ઉપસ્થિત રહી વકતવ્ય આપ્યું હતું.
