કોરોનાને નાથવા ગુજરાતે અન્ય રાજ્યો કરતા સારા પગલાં લીધાઃ જયંતિ રવિ
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું , કોરોનાને અટકાવવા ગુજરાતે , અન્ય રાજ્ય કરતા લીધા વધુ સારા પગલાં - whoના સેમિનારમાં ગુજરાતની કામગીરીના થયા વખાણ
આજે આરોગ્ય વિભાગના મુખ્ય અગ્રસચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, covid -19 ની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રશંસનીય રહી છે. અમદાવાદ, સુરત જેવા માહાનગરોમાં કોરોનાની વધારે અસર થઈ છે. જો કે કોરોના સામેની લડાઈમાં તમામનો સહકાર મળ્યો છે.
ડોકટરો, સફાઈ કામદારો, પોલીસ કર્મચારીઓ વગેરેએ આવી ભયાનક સ્થિતિમાં પોતાની જીદંગીને જોખમ મૂકી લોકોની સેવા કરી છે. રાજ્યમાં ધન્વંતરિ રથ, સંજીવની રથ તેમજ આયુર્વેદિક ઉપચારો થકી કોરોના સામે મજબૂત લડત આપી સંક્રમણ ઘટાડવામાં સફળ રહ્યા છીએ.
