કોરોના વાઇરસને લઇને ડાકોરનો પારંપરિક ફાગણોત્સવ મુલતવી રખાયો
Live TV
-
ડાકોર યાત્રાધામમાં દર વર્ષે ધુળેટી નિમીત્તે લાખો ભક્તજનો ઉમટે છે
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે યોજાતો ફાગણોત્સવનુ આયોજન આ વખતે અગમચેતીના કારણોસર રદ્દ કરવામાં આવ્યુ છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ભારતમાં પણ દસ્તક દેતા અગમચેતીના કારણોસર આ ફાગણોત્સવ-2020ને રદ્દ કરવામાં આવ્યો છે. ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ખેડાના સંયુક્ત ઉપક્રમે ગાયોના વાડાવાળા રોડ પર રાધાકુંડની સામે ફાગણોત્સવ 2020નુ આયોજન કરવામાં આવેલુ હતુ. આ કાર્યક્રમને કોરોના વાયરસ અંગે તકેદારી રાખવાના કારણોસર રદ્દ કરવામાં આવ્યો છે.
