ખંભાડિયામાં ઉજવાયો સ્વચ્છ ભારત દિવસ
Live TV
-
ભારત સરકાર દ્વારા બાબા આંબેડકર જયંતીના અનુસંધાને વિવિધ દિવસોની ઉજવણી શરૂ કરાઇ.
ભારત સરકાર દ્વારા બાબા આંબેડકર જયંતીના અનુસંધાને વિવિધ દિવસોની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજે ખંભાળીયા તાલુકાના રામનગરની દેરામોરા પ્રાથમિક શાળામાં કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દેરામોરા પ્રા.શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. તેમજ ગામલોકો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હર્ષાબેન ગોહિલ દ્વારા હાથ ધોવા અંગેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે સ્વચ્છતા અંગેના સપથ લેવડવામાં આવ્યા હતા. આ પછી મહાનુભાવો દ્વારા સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર જે.આર.ડોડીયા, નાયબ કલેકટર માંડોત, જિલ્લા વિકાસ અધિકારી રાવલ, રામનગરના સરપંચ કે.વી. પરમાર, ડીઆરડીએ નિયામક, દેરામોરા સ્કુલના આચાર્ય ઉપસ્થિત રહયા હતા.
