ખંભાતમાં કોમી રમખાણ મામલે 112 આરોપીઓની ધરપકડ
Live TV
-
ગત મહિનાની 23 તારીખે ખંભાતમાં થયેલા કોમી રમખાણો બાદ શાંતિ જળવાઇ રહે ,તે માટે આણંદ પોલીસે તમામ સ્તરે પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં 112 જેટલા આરોપીઓની ધરપકડ કરવા માં આવી છે અને અન્ય 42 જેટલા આરોપીઓને નોટીસ પાઠવવામાં આવી છે.
તો દરેક સમાજના અગ્રણી સાથે સ્થાનિક પોલીસે મીંટીગ પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તોફાનો બાદ સરકારે, તાત્કાલિક પગલા ભરીને જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડાની બદલી કરીને અન્ય અધિકારીઓને ખંભાતમાં તૈનાત કરી દીધા હતા. ત્યારે નવા આવેલા જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાને પત્રકારો સાથે માહિતી આપી હતી કે પોલીસ તમામ બાબતો પર ધ્યાન રાખી રહી છે અને હવે સ્થિતિ સામાન્ય છે.
