ખંભાળિયા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકોની હડતાળ સમેટાઈ
Live TV
-
ખંભાળીયા તાલુકાના 209 કેન્દ્રો પરના તમામ કર્મચારીઓ પગારના પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા હતા.
ખંભાળીયા તાલુકાના 209 કેન્દ્રો પરના તમામ કર્મચારીઓ પગારના પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે ખંભાળીયા તાલુકાના તમામ મધ્યાહનભોજન કેન્દ્રો બંધ હતા.
હડતાલની જાણ થતા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેકટર તેમજ અધિક કલેકટર દ્વારા તુરત જ મામલતદાર, ટ્રેઝરી ઓફિસરે મધ્યાહન ભોજન સંચાલકોની મિટિંગ યોજીને બાકી પગાર ચૂકવવા આદેશ કર્યો હતો. જેના કારણે બે દિવસથી ચાલતી હડતાલ સમેટાઈ હતી અને તાલુકા ના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો કાર્યરત થયા હતા.
