"ખ્વાજા" જહાજે તોફાનમાં લીધી જળ સમાધિ
Live TV
-
જહાજમાં 9 ખલાસી હતા સવાર, 4 ખલાસી થયા લાપતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના એક જહાજે ગઈરાત્રે તોફાની હવામાનના કારણે યમન નજીક જળ સમાધિ લીધી હતી. આતે એ ખ્વાજા નામનું આ જહાજ શારજહાંથી કાર્ગો ભરી સિકોતેર બંદર તરફ જતું હતું. જ્યાં ખરાબ વાતાવરણ અને વરસાદને કારણે ડૂબી ગયું હતું. જહાજમાં 9 ખલાસી સવાર હતા. તેમાંથી 5 ખલાસી હાલ સંપર્કમાં છે. જ્યારે 4 ખલાસીનો હજુ કોઈ પત્તો નથી. ઉલ્લેખનીય છે કે, સલાયા બંદરના અન્ય 20 જેટલા વાહન ઓમાનમાં ફસાયેલા છે. દરિયો તોફાની બનતા ઓમાન સરકારે આ તમામ વાહનોને બંદર પર લાગરી દઈ દરિયામાં પરત ન ફરવા આદેશ આપેલા છે. આ જહાજોના કુલ 200 જેટલા ખલાસીઓને પણ ઓમાન સરકારે સલામત સ્થળે ખસેડી દીધા છે.
