ગાંધીનગરઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી 4 દિવસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી 4 દિવસ સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં 231 તાલુકા પંચાયત 31 જિલ્લા પંચાયત અને 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા થશે. 12 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેથી આ ચાર દિવસમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉમેદવારોના નામ નક્કી કરશે. હાલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે.
