ગાંધીનગરના કલોલમાં જન જાગૃતિના સંદેશ સાથે યોજાઇ રથયાત્રા
Live TV
-
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે શહેરના સત્ય નારાયણ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે શહેરના સત્ય નારાયણ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા હાલમાં વિશ્વ વ્યાપી કોરોના અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી શહેરમાં ફાટી નીકળેલા કોલેરા રોગ સામે જન જાગૃતિનો સંદેશ લઈને નીકળી હતી. કોરોના અને કોલેરાને હરાવવા સ્વચ્છતા, સાવચેતી અને સારવારના મંત્રને રથયાત્રા સાથે જોડી મર્યાદિત ભક્તો તેમજ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે નીકળી હતી. આ અંગે કલોલ રથયાત્રા સમિતિના સિનિયર સભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, મર્યાદિત વિસ્તારમાં રથયાત્રા ભ્રમણ કરી બપોરે 2 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
