ગાંધીનગરના મેયરે હવન કરી કોરોના સંક્રમિતોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી
Live TV
-
ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે પોતાના જન્મદિન નિમિતે પંચદેલ મંદિરમાં હવન કરીને કોરોના સંક્રમિતોની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી.
21 ઑગસ્ટ મેયર રીટાબેન પટેલનો જન્મ દિવસ છે.. પોતાના જન્મ દિવસની તેઓ સાદગીપૂર્ણ પરંતુ અનોખી ઉજવણી કરી.. સવારે 10થી 1 વાગ્યા દરમિયાન સેક્ટર 22માં પંચદેવ મંદિર પર પૂજા, હવનનું આયોજન કરાયું. જેમાં તેઓ ગાંધીનગરના સાંસદ અને દેશન ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા તાજેતરમાં કોરોના સંક્રમિત થયેલા મહાપાલિકાના અધિકારી, કર્મચારીઓ અને નગરજનો કે જેઓ કોરોનાથી સંક્રમિત થયાં છે. તેઓ ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે તેના માટે પ્રાર્થના કરી હતી.
