ગાંધીનગર ખાતે સહી પોષણ દેશ રોશન સુપોષણ ચિંતન સમારોહનું કરાયું આયોજન
Live TV
-
આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સાડી ગણવેશનું કરાયું વિતરણ
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યના મહિલા અને બાળકલ્યાણ વિભાગ તથા જિલ્લા પંચાયત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સહી પોષણ દેશ રોશન સુપોષણ ચિંતન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજયના બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ આ પ્રસંગે જણાવ્યુ કે, આંગણવાડી બહેનો દેશનો પાયો મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, જો બાળક મજબૂત હશે તો દેશનો પાયો મજબૂત બનશે. આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સાડી ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આંગણવાડીની 16 ઘટક કક્ષાની કાર્યકર તેડાગર બહેનોને યશોદામાતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી
