ગીર સોમનાથઃ મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન, યાર્ડના સત્તાધીશોએ 3 તારીખ સુધી મગફળી ન લાવવા કરી અપીલ
Live TV
-
ગીર સોમનાથઃ મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન, યાર્ડના સત્તાધીશોએ 3 તારીખ સુધી મગફળી ન લાવવા કરી અપીલ
ગીર સોમનાથનો મુખ્ય પાક ગણાતો મગફળીનું ચાલું વર્ષે મબલખ ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ગીર સોમનાથના કોડીનાર માર્કટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં બંપર વધારો થયો છે. 6 હજાર ગુણીના વેચાણ સામે 10 હજાર ગુણીની આવક થતા યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને 3 તારીખ સુધી મગફળી ન લાવવા અપીલ કરી છે. યાર્ડમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળતા હોવાને કારણે મગફળીની આવક વધી છે. જિલ્લામાં આ વર્ષે 80 હજાર 700 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે 1 લાખ 92 હજાર 454 મેટ્રિક ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થયાનો અંદાજ છે.
