ગુજરાતની ગ્રાન્ટેડ લાઈબ્રેરીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો મહત્વનો નિર્ણય
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી અને ગ્રામીણ નાગરિકોને અનુદાનિત સાર્વજનિક ગ્રંથાલયોના માધ્યમથી વ્યવસ્થિત વાંચન સુવિધા ઉપલબ્ધ કરાવવા જનહિત અભિગમથી એક મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી અને ગ્રામીણ નાગરિકોને અનુદાનિત સાર્વજનિક ગ્રંથાલયોના માધ્યમથી વ્યવસ્થિત વાંચન સુવિધા ઉપલબ્ધ કરાવવા જનહિત અભિગમથી એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કાર્યરત 3 હજાર 249 જેટલા અનુદાનિત ગ્રંથાલયોને લોક ફાળામાંથી મુક્તિ આપીને રાજ્ય સરકાર દ્વારા વધુ અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. 18 વિશિષ્ટ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ હાલ આપવામાં આવતા રૂ. 5 લાખના અનુદાનમાં 1 લાખનો વધારો કરવામાં આવ્યો છે. આ મુજબ અનુદાનિત ગ્રંથાલયોને વાર્ષિક 17 કરોડ 82 લાખનું વધારાનું અનુદાન ચુકવાશે. જેથી ગ્રંથાલયોમાં સ્પર્ધાત્મક, વ્યવસાયલક્ષી તથા અભ્યાસલક્ષી વધુ સાહિત્ય વસાવી શકાય.