ગુજરાતભરમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી
Live TV
-
વિસનગરમાં રક્તદાન શિબિર યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. ત્યારે રાજ્યભરમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ લોકો દ્વારા , નોંખી-અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પૂર્વે , મહેસાણા જિલ્લાના મોઢેશ્વરી કેળવણી ટ્રસ્ટ દ્વારા , વિસનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં લોકોએ, ઉત્સાહભેર ભાગ લીધો હતો , અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ દ્વારા , કુલ 245 લોહીની બોટલો એકત્રીત કરવામાં આવી હતી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટર પર લખ્યુ છે કે ગુજરાતના સપૂત અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની સમગ્ર ગુજરાતની જનતા તરફથી હાર્દિક શુભકામના...આપના કુશળ નેતૃત્વથી રાષ્ટ્ર નિરંતર નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે એ જ શુભકામના..
