ગુજરાતમાં આજે કોરોનાનાં 30 નવા કેસ, 42 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનાં કેસમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 30 કેસ નોંધાયા છે. આ સાથે જ 42 જેટલા દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કોઈ પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ નથી થયું. આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ 3 લાખ 22 હજાર 664 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. તો રાજ્યમાં અત્યારે 330 એક્ટિવ કેસ નોધાયા છે. આજે કોરોનાનાં કેસોની વાત કરીએ તો સુરત અને દાહોદમાં 6-6 કેસ, અમદાવાદમાં 5 કેસ, વડોદરામાં 4 કેસ, જુનાગઢમાં 2 કેસ નોધાયા છે.
