ગુજરાતમાં આજે કોરોનાનાં 31 નવા કેસ નોંધાયા, 49 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 31 કેસ નોંધાયા હતા જયારે 49 લોકો સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં રિકવરી રેટ 98. 74 ટકા થયો છે. આજે રાજ્યમાં કુલ 1 લાખ, 75 હજાર 971 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના અમદાવાદમાં 9, સુરતમાં 5, વડોદરામાં 5, જામનગરમાં 3, દાહોદમાં 2, જૂનાગઢમાં 2, જ્યારે અમરેલી, દેવભૂમિ દ્વારકા, કચ્છ તથા ખેડામાં કોરોનાનાં એક એક કેસ નોંધાયા હતા.
