ગુજરાતમાં કોરોના સંકટ યથાવત, નાના શહેરોમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા કેસ
Live TV
-
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ચિંતાજનક વધી રહ્યા છે. તો પાટણમાં બે નવા કેસ નોંધાયા છે. ત્યારે પાટણમાં કુલ કેસની સંખ્યા ૬૯ કેસ નોંધાયા છે. રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવનો વધુ એક કેસ નોંધાયો છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં ૮૮ કુલ કેસ નોંધાયા છે અને બે વ્યક્તિઓના મરણ થયા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ૧૧ કેસ હતા. જેમાં તમામને સારવાર બાદ રજા આપવામાં આવતા હવે દ્વારકામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
તો અરવલ્લી જિલ્લામાં વધુ ચાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. આ ચાર કેસ પૈકી ૩ કેસ ધનસુરા તાલુકામાં અને એક મેઘરજ તાલુકામાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ૩૯૬ કેસ નોંધાયા હતા અને ૨૭ દર્દીઓના મરણ થયા હતા.
