ગુજરાતમાં નવા 395 પોઝિટિવ કેસ, રાજ્યમાં 6379 સક્રિય કેસ : ડો. જયંતિ રવિ
Live TV
-
આજ રોજ કોરોના વાયરસના 239 દર્દી ડિસ્ચાર્જ થયા
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. ત્યારે કોરોનાની સ્થિતિની માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 395 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 262 પોઝિટિવ કેસ આવ્યા છે. કુલ કોરોના પીડિતોની સંખ્યા 12141 થઇ છે. જેમાથી 6379 કેસ સક્રિય છે. આ ઉપરાંત, સુરત માં કોરોનાના 29 કેસ આવ્યા છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજ રોજ કોરોના વાયરસને કારણે 25 મોત થયા છે, તે સાથે રાજ્યમાં મૃત્યુઆંક 719 એ પહોચ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 239 સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 5043 દર્દીઓ સાજા થયા છે.
