ગુજરાતમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સરકારના કેટલાક નિયમોને લઈ ભારે અસમંજસતા અનુભવી રહ્યા છે.
Live TV
-
બનાસકાંઠા જિલ્લા મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા ગુજરાતના ઉત્પાદન વેપારી મહા મંડળ દ્વારા એક અધિવેશન યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ કાયદાને નિયમો લાગુ કરી ગ્રાહકોની સુરક્ષા માટેના પ્રયાસ કરી રહી છે ત્યારે મીઠાઈ અને ફરસાણ ઉત્પાદક વેપારીઓને તે નિયમો અને નવા કાયદાનું પાલન કરવું પડકારરૂપ બની રહ્યું છે. તાજેતરમાં સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અને મીઠાઈના વેપારીઓને પોતાના ઉત્પાદિત કરાતા માલ ઉપર ઉત્પાદન તારીખ તેમજ એક્સપાયરી ડેટ મારવા માટેનો નિયમ લાગુ કરાયો છે. અંબાજી ખાતે યોજાયેલા આ મીઠાઈ અને ફરસાણના અધિવેશન દરમિયાન વિવિધ મીઠાઈ ફરસાણ તથા આ વેપારને લગતી મશીનરી અને સામગ્રીનુ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું જે અધિવેશનનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
