ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે અમરેલીમાં સ્મૃતિવંદના તેમજ કવિના રેખાચિત્રોનું કરાયું આયોજન
Live TV
-
બાલભવનના સંગીત વર્ગના બાળકો દ્વારા કવિ રમેશ પારેખ રચિત કવિતાનું ગાન તથા કળાવર્ગના બાળકો દ્વારા રમેશ પારેશના રેખાચિત્રોમાં રંગપૂર્તિ કરવામાં આવી હતી
નયનને આંજ્યા કવિતાના નૂર, હવે ઉમટ્યા શબ્દને શૂર, આ મોજાં આ વમળો આ પૂર, રમેશ કે કેટલા દૂર દૂર ? ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ, શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે અમરેલીમાં સ્મૃતિવંદના તેમજ કવિના રેખાચિત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલભવનના સંગીત વર્ગના બાળકો દ્વારા કવિ રમેશ પારેખ રચિત કવિતાનું ગાન તથા કળાવર્ગના બાળકો દ્વારા રમેશ પારેશના રેખાચિત્રોમાં રંગપૂર્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કવિશ્રી હર્ષદ ચંદારાણા, સ્નેહી પરમાર, કાલિન્દી પરીખ વગેરે સાહિત્યકારોએ ઉપસ્થિત રહી રમેશ પારેખના સાહિત્યની ઝાંખી કરાવી હતી.
